ગુજરાત Archives | ગુજરાત ન્યૂજ પોસ્ટ https://gujarati.gujaratnewspost.com/category/gujarat/ ગુજરાત ન્યૂજ પોસ્ટ ગુજરાતી સમાચાર Sun, 15 Feb 2026 10:56:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.1 https://gujarati.gujaratnewspost.com/wp-content/uploads/2025/08/cropped-Site-Icon1-e1757156589539-150x150.png ગુજરાત Archives | ગુજરાત ન્યૂજ પોસ્ટ https://gujarati.gujaratnewspost.com/category/gujarat/ 32 32 ભારતીય સંસ્કૃતિની મહત્વપૂર્ણ ફિલ્મ ‘જય સોમનાથ’ ની જાહેરાત https://gujarati.gujaratnewspost.com/announcement-of-the-important-film-of-indian-culture-jai-somnath/ https://gujarati.gujaratnewspost.com/announcement-of-the-important-film-of-indian-culture-jai-somnath/#respond Sun, 15 Feb 2026 10:52:24 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2939 ભારતીય સિનેમાના બે સૌથી મોટા સર્જનાત્મક દળો, સંજય લીલા ભણસાલી અને કેતન મહેતા, એક ઐતિહાસિક વાર્તા કહેવા માટે ભેગા થયા છે જે ભારત અને તેના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સંજય લીલા ભણસાલી, કેતન મહેતા સાથે, ભારતીય સંસ્કૃતિની એક ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા ‘જય સોમનાથ’ ની જાહેરાત કરી છે. ભારતીય સિનેમામાં […]

The post ભારતીય સંસ્કૃતિની મહત્વપૂર્ણ ફિલ્મ ‘જય સોમનાથ’ ની જાહેરાત appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
ભારતીય સિનેમાના બે સૌથી મોટા સર્જનાત્મક દળો, સંજય લીલા ભણસાલી અને કેતન મહેતા, એક ઐતિહાસિક વાર્તા કહેવા માટે ભેગા થયા છે જે ભારત અને તેના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

સંજય લીલા ભણસાલી, કેતન મહેતા સાથે, ભારતીય સંસ્કૃતિની એક ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા ‘જય સોમનાથ’ ની જાહેરાત કરી છે. ભારતીય સિનેમામાં આ બે સૌથી મોટી સર્જનાત્મક દળોનું એકત્ર થવું ખરેખર રોમાંચક છે, અને પડદા પર એક અનોખો અને ભવ્ય ભવ્યતા રજૂ કરવાનું વચન આપે છે.

‘જય સોમનાથ’ ની વાર્તા આપણને 1025-1026 એડી માં પાછા લઈ જશે, જ્યારે ગઝનીના મહમૂદે ગુજરાતના સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને લૂંટ ચલાવી હતી. આ ભારતીય ઇતિહાસનો એક એવો પ્રકરણ છે જે વિનાશ પછી ફરીથી ઉભા થવાની શક્તિ દર્શાવે છે. આ વર્ષે મંદિરના હુમલા અને વિનાશને 1000 વર્ષ પૂર્ણ થયા છે, અને આ ફિલ્મ ભારતના અતૂટ હિંમત અને આપણી સભ્યતાના ગૌરવનું પ્રતીક બનશે. આશ્ચર્યજનક છે કે આટલા ઊંડા ભાવનાત્મક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા આ વિષયને ક્યારેય સિનેમામાં શોધવામાં આવ્યો નથી. હવે, પહેલીવાર, આ ઐતિહાસિક ઘટનાને મોટા પડદા પર જીવંત કરવામાં આવી રહી છે, જે ચોક્કસપણે દરેક ભારતીયના હૃદયને સ્પર્શી જશે.

‘જય સોમનાથ’ને ખાસ બનાવતી બાબત સંજય લીલા ભણસાલી અને કેતન મહેતાનો સહયોગ છે. જ્યારે ભણસાલી તેમની ભવ્યતા અને મોટા પડદા પર જાદુઈ દુનિયા બનાવવા માટે પ્રખ્યાત છે, ત્યારે કેતન મહેતા તેમની બોલ્ડ વાર્તાઓ, ઐતિહાસિક દ્રષ્ટિ અને આંતરરાષ્ટ્રીય સ્તરની ફિલ્મો માટે જાણીતા છે. આ ફિલ્મ ઇતિહાસની ઊંડાઈ અને સિનેમાના ભવ્ય સ્કેલને એકસાથે લાવશે, જે દર્શકોને મનમોહક અનુભવ આપવાનું વચન આપશે. બંને ફિલ્મ નિર્માતાઓ ગુજરાતના હોવાથી, આશા છે કે તેઓ વાસ્તવિકતા અને ભાવનાને મિશ્રિત કરતી વાર્તા રજૂ કરી શકશે, અને તે લોકો સાથે પડઘો પાડશે.

‘જય સોમનાથ’નું નિર્માણ ભણસાલી પ્રોડક્શન્સ અને માયા મૂવીઝ (કેતન મહેતાની પ્રોડક્શન કંપની) ના બેનર હેઠળ થઈ રહ્યું છે. કેતન મહેતા પોતે આ ફિલ્મ લખી રહ્યા છે અને દિગ્દર્શિત કરી રહ્યા છે. આ ફિલ્મ 2027 માં મોટા પડદા પર આવવાની તૈયારીમાં છે.

The post ભારતીય સંસ્કૃતિની મહત્વપૂર્ણ ફિલ્મ ‘જય સોમનાથ’ ની જાહેરાત appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/announcement-of-the-important-film-of-indian-culture-jai-somnath/feed/ 0
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્નન | ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ https://gujarati.gujaratnewspost.com/swearing-in-ceremony-of-new-gujarat-cabinet-complete/ https://gujarati.gujaratnewspost.com/swearing-in-ceremony-of-new-gujarat-cabinet-complete/#respond Fri, 17 Oct 2025 14:39:48 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2923 ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હાલમાં સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ છે. હર્ષ સંઘવીને ગૃહ મંત્રી બનાવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને […]

The post ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્નન | ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હાલમાં સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ સવા કલાક સુધી ચાલી હતી. ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ છે. હર્ષ સંઘવીને ગૃહ મંત્રી બનાવાયા છે. આ પહેલા તેઓ ગૃહ રાજ્યમંત્રી હતા.

હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને DyCM બનાવાયા છે. ત્યાર બાદ જિતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા હતા.

કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી, સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નહોતા.

નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે, જેમાં 3 મહિલા છે.

રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ, તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.

The post ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્નન | ખાતાંની ફાળવણી પણ થઈ ગઈ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/swearing-in-ceremony-of-new-gujarat-cabinet-complete/feed/ 0
બોટાદનાં આંગણવાડી કેન્દ્રો દ્વારા લોકોને પોષણ, મિલેટ્સ અને THRનું મહત્વ સમજાવાયું https://gujarati.gujaratnewspost.com/botads-anganwadi-centers-explained-the-importance-of/ https://gujarati.gujaratnewspost.com/botads-anganwadi-centers-explained-the-importance-of/#respond Tue, 14 Oct 2025 07:11:38 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2913  મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે.

The post બોટાદનાં આંગણવાડી કેન્દ્રો દ્વારા લોકોને પોષણ, મિલેટ્સ અને THRનું મહત્વ સમજાવાયું appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
બોટાદ જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ સુત્ર “સહી પોષણ દેશ રોશન”ના ધ્યેય સાથે પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે. 
                 મહિલા અને બાળ વિભાગ દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે દર વર્ષે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે.
            બોટાદ જિલ્લાનાં આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ માસ-૨૦૨૫ તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત THR તેમજ મિલેટ્સ વાનગી સ્ટોલ કરી, કિશોરીઓ, સગર્ભા, ધાત્રી તેમજ તમામ લાભાર્થીઓને પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
              લોકોમાં પરંપરાગત વાનગીઓના ઉપયોગને પ્રોત્સાહિત આપવા ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનતી વાનગી થકી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ-દેશનું નિર્માણ કરવા એક પહેલના ભાગ રૂપે ‘‘પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે.

The post બોટાદનાં આંગણવાડી કેન્દ્રો દ્વારા લોકોને પોષણ, મિલેટ્સ અને THRનું મહત્વ સમજાવાયું appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/botads-anganwadi-centers-explained-the-importance-of/feed/ 0
ગાંધીધામ ખાતે પ્રતિષ્ઠિત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ https://gujarati.gujaratnewspost.com/prestigious-state-table-tennis-championship-begins-at-gandhidham/ https://gujarati.gujaratnewspost.com/prestigious-state-table-tennis-championship-begins-at-gandhidham/#respond Mon, 13 Oct 2025 13:01:48 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2910 ગાંધીધામ, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નો મંગળવાર થી આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે પ્રારંભ થશે. 14મી થી 18મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં વર્તમાન ટીટી કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઇન્ટ અહીંથી મળવાના […]

The post ગાંધીધામ ખાતે પ્રતિષ્ઠિત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
ગાંધીધામ, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નો મંગળવાર થી આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે પ્રારંભ થશે.

14મી થી 18મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં વર્તમાન ટીટી કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઇન્ટ અહીંથી મળવાના છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી યોજાયેલી આ ટુર્નામેન્ટના કો-સ્પોન્સર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે. જ્યારે કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન વેન્યૂ પાર્ટનર રહેશે. સ્ટિગા આ ટુર્નામેન્ટમાં ઇક્વિપમેન્ટ સ્પોન્સર તરીકે જારી રહે છે.

પાંચ દિવસીય ટુર્નામેન્ટમાં 550 એન્ટ્રી મળી છે અને તેના માટે સ્ટિગાના નવ ટેબલનો ઉપયોગ કરાશે. ટુર્નામેન્ટમાં રાજ્યના ટોચના ખેલાડી ધૈર્ય પરમાર, ચિત્રાક્ષ ભટ્ટ, ફ્રેનાઝ છિપીયા, ઓઇશિકી જોઆરદાર, ફિલઝાહ ફાતીમા કાદરી, અભિલાષ રાવલ, નામના જયસ્વાલ અને જયનિલ મહેતા ભાગ લેનારા છે. જેના માટે 4,75000 રૂપિયાની ઇનામી રકમ વહેંચાશે. ભારતની આ એવી પ્રથમ ટુર્નામેન્ટ છે જેમાં ટીમ ઇવેન્ટમાં પણ ઇનામી રકમ અપાશે.

જુનિયર્સમાં વિવાન દવે, આયુષ તન્ના, રિયા જયસ્વાલ, પ્રથા પવાર, જન્મેજય પટેલ, ધ્યેય જાની, દાનિયા ગોદીલ, દેવ ભટ્ટ, હિમાંશ દહિયા, જિયા ત્રિવેદી અને મૌબોની ચેટરજી જેવા યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓ પણ રમશે.

વ્યક્તિગત ઇવેન્ટ ઉપરાંત વિવિધ ખેલાડીઓને પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની પણ તક મળી રહેશે. રાજ્યના 13 જિલ્લાની છ ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે જેમાં મેન્સ અને વિમેન્સ, બોયઝ અને ગર્લ્સ અંડર-19 તેમજ બોયઝ અને ગર્લ્સ અંડર-15ની ટીમોનો સમાવેશ થાય છે.

જીએસટીટીએના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે “આ ચેમ્પિયનશિપ રાજ્યમાં આ રમતના વિકાસ અને મજબૂતીનું પ્રતિબિંબ છે કેમ કે આ વખતે ભારતીય ટેબલ ટેનિસના ઇતિહાસમાં પહેલી વાર ટીમ ચેમ્પિયનશિપ માટે પણ ઇનામી રકમ આપવામાં આવનારી છે. રાજ્યમાં ટેબલ ટેનિસની રમતના વિકાસમાં આ એક મોટી હરણફાળ છે.”

જીએસટીટીએના સેક્રેટરી શ્રી હરિ પિલ્લાઈએ જણાવ્યું હતું કે “આ મહત્વની ટુર્નામેન્ટ માટે તમામ માળખાગત સવલતો તથા સ્ટેડિયમની સવલત પૂરી પાડવા માટે અમે કેડીટીટીએના આભારી છીએ.”

ટીમ ચેમ્પિયનશિપના ક્રમાંક:

મેન્સ :  પ્રથમ ક્રમ: અમદાવાદ —  બીજો ક્રમ : સુરત

વિમેન્સ: પ્રથમ ક્રમ: સુરત — બીજો ક્રમ : અમદાવાદ

બોયઝ અંડર-19: પ્રથમ ક્રમ: ભાવનગર — બીજો ક્રમ : અરાવલ્લી

ગર્લ્સ અંડર-19: પ્રથમ ક્રમ: ભાવનગર — બીજો ક્રમ : સુરત

બોયઝ અંડર-15: પ્રથમ ક્રમ: કચ્છ — બીજો ક્રમ : સુરત

ગર્લ્સ અંડર-15: પ્રથમ ક્રમ: સુરત — બીજો ક્રમ : ભાવનગર

The post ગાંધીધામ ખાતે પ્રતિષ્ઠિત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/prestigious-state-table-tennis-championship-begins-at-gandhidham/feed/ 0
વિકાસ સપ્તાહ – ૨૦૨૫ : રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ૯૨૭ કામ મંજૂર https://gujarati.gujaratnewspost.com/development-week-2025-927-works-approved-in-all-the-municipalities-and-municipalities-of-the-state/ https://gujarati.gujaratnewspost.com/development-week-2025-927-works-approved-in-all-the-municipalities-and-municipalities-of-the-state/#respond Mon, 13 Oct 2025 12:08:01 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2907 અમૃત ૨.૦ મિશન હેઠળ આવરી લેવાયેલા ગુજરાતના આ શહેરોમાં પાયાની માળખાકીય સુવિધા માટે રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર કરવામાં આવ્યા છે.

The post વિકાસ સપ્તાહ – ૨૦૨૫ : રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ૯૨૭ કામ મંજૂર appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય  સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ, વિકાસ, અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે ‘અમૃત ૨.૦’ યોજના હેઠળ રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર કરવામાં આવ્યા છે.

 વડાપ્રધાનના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશનું ગ્રોથ એન્જીન ગણાતું ગુજરાત આજે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં શહેરી વિકાસ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.

અટલ મિશન ફોર રેજ્યુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) યોજનાએ ભારત સરકારની એક મહત્વપૂર્ણ શહેરી વિકાસ યોજના છે. જેનો લક્ષ્ય શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવીને લોકોના જીવનધોરણને સુધારવાનો છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૨૫ જૂન, ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી.  ત્યારબાદ ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અમૃત ૨.૦ મિશન તા.૧ ઓક્ટોબર ૨૦૨૧ના રોજથી સમગ્ર દેશમાં અમલમાં આવી હતી. શહેરી જીવનની ગુણવત્તા સુધારવા ‘અમૃત ૨.૦ મિશન’ અંતર્ગત માળખાકીય પાયાની સુવિધાઓના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે.

અમૃત ૧.૦ મિશન હેઠળ ગુજરાતના ૩૧ શહેરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યની ૨૨ ‘અ’ વર્ગની નગરપાલિકા તેમજ દ્વારકા નગરપાલિકાનો સમાવેશ થાય છે.

જ્યારે અમૃત-૨.૦ યોજના હેઠળ રાજ્યની તમામ નગરપાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા, બાગ-બગીચા અને તળાવ નવીનીકરણ કામો હાથ ધરવામાં આવેલ છે તથા રાજ્યના ૩૧ અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો પણ હાથ ધરવામાં આવેલ છે.

અમૃત ૨.૦ મિશન હેઠળ આવરી લેવાયેલા ગુજરાતના આ શહેરોમાં પાયાની માળખાકીય સુવિધા માટે રૂ. ૧૬,૩૧૬ કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારનો રૂ. ૪,૫૦૪ કરોડ, રાજ્ય સરકારનો રૂ. ૫,૫૯૭ કરોડ તેમજ રૂ. ૬,૨૧૫ કરોડ ULB- અર્બન લોકલ બોડીનો ફાળો છે. અમૃત ૨.૦ મિશન હેઠળ પ્રોજેક્ટ કમ્પોનન્ટ સિવાય કેપેસીટી બિલ્ડીંગ, અર્બન રિફોર્મ્સ  સંબધિત કામગીરી પણ  કરવામાં આવે છે.

  ‘અમૃત ૨.૦ યોજના’ હેઠળ છેલ્લા ૫ વર્ષમાં મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાને લગતા રૂ. ૪૯૩૧ કરોડના ૧૪૯ કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ.૫૪૩૭ કરોડના ૧૧૨ કામો, તળાવ નવીનીકરણના રૂ. ૨૦૭ કરોડના ૩૭ કામો, બાગ બગીચાના રૂ.૮ કરોડના ૦૪ કામો તેમજ નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાના રૂ. ૩૭૩૯ કરોડના ૨૯૨ કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ.૧,૪૪૦ કરોડના ૫૫ કામો, તળાવ નવીનીકરણના રૂ. ૪૪૩ કરોડના ૧૫૧ કામો તેમજ બાગ – બગીચાના રૂ. ૧૧૦ કરોડના ખર્ચે ૧૨૭ કામો મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા છે.   

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘અમૃત૨.૦ યોજના’ હેઠળ શહેરી વિકાસ અંતર્ગત રાજ્યના તમામ શહેરો દ્વારા પાણી પુરવઠાના કામો જેમાં સોર્સ ઓગ્મેનટેશન, ટ્રાન્સમીશન લાઈન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીના સંગ્રહ હેતુ ભૂગર્ભ ટાંકી તથા ઉંચી ટાંકી, પાણી વિત્તરણ પાઈપલાઈન નેટવર્ક તથા ઘર જોડાણ જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનાં કામો જેમાં ઘર જોડાણ, કલેક્શન નેટવર્ક, પમ્પીંગ સ્ટેશન – પમ્પીંગ મશીનરી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ટર્શ્યરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે.

The post વિકાસ સપ્તાહ – ૨૦૨૫ : રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ૯૨૭ કામ મંજૂર appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/development-week-2025-927-works-approved-in-all-the-municipalities-and-municipalities-of-the-state/feed/ 0
ટાગોર હોલ ખાતે AMC દ્વારા શહેરી વિકાસ સપ્તાહ ૨૦૨૫ કાર્યક્રમમાં ૨૭ કરોડના કામોનું લોકાર્પણ https://gujarati.gujaratnewspost.com/amc-inaugurates-works-worth-rs-27-crores-at-tagore-hall/ https://gujarati.gujaratnewspost.com/amc-inaugurates-works-worth-rs-27-crores-at-tagore-hall/#respond Sun, 12 Oct 2025 15:58:19 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2903 શહેરની સફાઈ માટે સખત મહેનત કરનાર ૪ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપી કદર કરવામાં આવી.

The post ટાગોર હોલ ખાતે AMC દ્વારા શહેરી વિકાસ સપ્તાહ ૨૦૨૫ કાર્યક્રમમાં ૨૭ કરોડના કામોનું લોકાર્પણ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સંસદસભ્યોશ્રી, મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની, ધારાસભ્યો શ્રી તથા અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં શહેરના ૨૭ કરોડના કામોનું લોકાર્પણ થયું. જે અન્વયે,

  • ૭ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, અભા કાર્ડ અને વંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા તથા પી.એમ સ્વનિધિ યોજના હેઠળ ૧૨ સ્વરોજગારીઓને લોન મંજૂરી પત્રો અપાયા.
  • શહેરની સફાઈ માટે સખત મહેનત કરનાર ૪ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપી કદર કરવામાં આવી.
  • ૩ ક્ષય (TB) દર્દીઓને પોષણ કિટ્સ આપીને તેમના આરોગ્ય સંભાળ માટે એક માનવીય પગલું ભરાયું.
  • સફાઈ સુરક્ષા મિત્ર કિટનું વિતરણ કરીને સફાઈ કાર્યમાં સલામતી અને સશક્તિકરણને વધુ મજબૂતી અપાઈ.
  • સ્વચ્છ નવરાત્રી મહોત્સવના વિજેતાઓ અને ઇકોફ્રેન્ડલી ગણપતિ મહોત્સવના ઝોન મુજબના પ્રથમ ક્રમના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા.
  • લોકમાન્ય તિલક ટ્રોફી વિતરણ દ્વારા નાગરિકોમાં સ્પર્ધાત્મક સ્વચ્છતા ભાવના ઉજાગર કરવામાં આવી.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુનઃવસન કરવામાં આવેલ ૧૧૦૮ આવાસો તથા ૪૫ દુકાનો ડ્રો

અ.મ્યુ.કો સતત નાગરિક કલ્યાણ અને શહેરી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે.

The post ટાગોર હોલ ખાતે AMC દ્વારા શહેરી વિકાસ સપ્તાહ ૨૦૨૫ કાર્યક્રમમાં ૨૭ કરોડના કામોનું લોકાર્પણ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/amc-inaugurates-works-worth-rs-27-crores-at-tagore-hall/feed/ 0
ચૂંટણી પંચે બિહાર ચૂંટણીની તારીખો જાહેર કરી | 6 અને 11 નવેમ્બરે મતદાન, જ્યારે 14એ પરિણામ https://gujarati.gujaratnewspost.com/%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%82%e0%aa%9a%e0%ab%87-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80/ https://gujarati.gujaratnewspost.com/%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%82%e0%aa%9a%e0%ab%87-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80/#respond Tue, 07 Oct 2025 06:52:00 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2876 પ્રથમ તબક્કાના મતદાન માટેનું જાહેરનામું 10 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર રહેશે. વધુમાં, બીજા તબક્કા માટેનું જાહેરનામું 13 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર રહેશે અને 23 તારીખ સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાનસભા […]

The post ચૂંટણી પંચે બિહાર ચૂંટણીની તારીખો જાહેર કરી | 6 અને 11 નવેમ્બરે મતદાન, જ્યારે 14એ પરિણામ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
પ્રથમ તબક્કાના મતદાન માટેનું જાહેરનામું 10 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર રહેશે. વધુમાં, બીજા તબક્કા માટેનું જાહેરનામું 13 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર રહેશે અને 23 તારીખ સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે.

ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે બિહારમાં 74.2 મિલિયન મતદારો મતદાન કરશે. તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ઘણી નવી પહેલો શરૂ કરવામાં આવી રહી છે, જેનો ભવિષ્યમાં દેશભરમાં અમલ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે મતદારોની સુવિધા માટે, ચૂંટણી પંચે પ્રતિ મતદાન મથક મતદારોની સંખ્યા 1,200 સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે. બિહારમાં 90,700 મતદાન મથકો હશે, જેમાંથી 1,044 મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. વધુમાં, આશરે 1,000 મોડેલ મતદાન મથકો હશે.

દેશભરની અન્ય ચૂંટણીઓમાં લાગુ કરવામાં આવશે

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે મતદાન મથકો દરેક જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત હશે, જે વૃદ્ધો અને અપંગોને સુવિધા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું હતું કે બિહારની તેમની મુલાકાત દરમિયાન, તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને કડક સૂચનાઓ આપી હતી કે ઉમેદવારો અને મતદારોને ધમકાવવાની કોઈ ઘટના ન બને. તેમણે ઉમેર્યું કે તેઓ ઇચ્છે છે કે દરેક મતદાન કરે અને તેમને પૂરતી સુવિધાઓ મળે. જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ગેરકાયદેસર વ્યવહારો, રોકડ વ્યવહારો વગેરે પર નજર રાખવામાં આવશે, અને ઉમેદવારોના ખર્ચ પર પણ નજર રાખવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કુલ 17 નવા પગલાં લઈ રહ્યા છીએ, જે પછીથી દેશભરની અન્ય ચૂંટણીઓમાં લાગુ કરવામાં આવશે.

બિહારમાં 1.4 મિલિયન મતદારો પ્રથમ વખત મતદાન કરશે

તેમણે કહ્યું કે જે મતદારોના નામ યાદીમાં નવા ઉમેરવામાં આવ્યા છે અથવા જેમના સરનામાં બદલાયા છે તેમને નવા મતદાર ઓળખ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. જ્ઞાનેશ કુમારે કહ્યું કે આ 15 દિવસમાં લાગુ કરવામાં આવ્યું છે. ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે બિહાર ચૂંટણીમાં 1.4 મિલિયન મતદારો પ્રથમ વખત મતદાન કરશે. આ બધા લોકોને મતદાર કાર્ડ જારી કરવામાં આવ્યા છે. બિહાર ચૂંટણીમાં મતદારો પાસે તેમના મોબાઇલ ફોન મતદાન મથક પર લઈ જવાનો વિકલ્પ હશે. તેઓ મતદાન મથકની બહાર તેમના મોબાઇલ ફોન જમા કરાવી શકે છે અને બહાર નીકળતી વખતે તેને લઈ શકે છે.

દરેક બેઠક માટે એક નિરીક્ષક હશે, અને 1950 હેલ્પલાઇન નંબર હશે.

ECINET દ્વારા BLO નો સંપર્ક કરી શકાય છે. વધુમાં, ચૂંટણી પંચનો સંપર્ક કરવા માટે, 1950 ડાયલ કરો. આ નંબર ડાયલ કરતા પહેલા, +91 અને સંબંધિત વિસ્તારનો STD કોડ લખો. પછી 1950 ડાયલ કરો. દરેક બેઠક પર એક નિરીક્ષક હશે. આ જવાબદારી વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવશે, જેઓ વિવિધ રાજ્યોમાંથી આવશે. તેમના નંબર ECINET અને વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે. કુલ 850,000 ચૂંટણી કર્મચારીઓ મતદાન કરશે અને પરિણામોમાં સામેલ થશે.

ત્રણ તબક્કામાં યોજવી જરૂરી માનવામાં આવી

2020માં અગાઉની બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં મતદાન ત્રણ તબક્કામાં યોજાયું હતું. પ્રથમ તબક્કો 28 ઓક્ટોબર, 2020 ના રોજ, બીજો તબક્કો 3 નવેમ્બર, 2020 ના રોજ અને ત્રીજો તબક્કો 7 નવેમ્બર, 2020 ના રોજ યોજાયો હતો.  મતગણતરી 10 નવેમ્બર, 2020 ના રોજ થઈ હતી. રાજ્યના કેટલાક ભાગોમાં પ્રારંભિક નક્સલવાદી અને સુરક્ષા ચિંતાઓને કારણે 2020 ની ચૂંટણીઓ ત્રણ તબક્કામાં યોજવી જરૂરી માનવામાં આવી હતી. છેલ્લી ચૂંટણીમાં મતદારોની ભાગીદારી આશરે 58.7% હતી, જે 2015 કરતા વધુ હતી.

The post ચૂંટણી પંચે બિહાર ચૂંટણીની તારીખો જાહેર કરી | 6 અને 11 નવેમ્બરે મતદાન, જ્યારે 14એ પરિણામ appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80-%e0%aa%aa%e0%aa%82%e0%aa%9a%e0%ab%87-%e0%aa%ac%e0%aa%bf%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9a%e0%ab%82%e0%aa%82%e0%aa%9f%e0%aa%a3%e0%ab%80/feed/ 0
વાપી મહાનગરપાલિકા દ્વારા મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું વિશેષ અભિયાન હાથ ધરાયું https://gujarati.gujaratnewspost.com/vapi-municipal-corporation-launches-special-campaign-to-transfer-names-to-properties/ https://gujarati.gujaratnewspost.com/vapi-municipal-corporation-launches-special-campaign-to-transfer-names-to-properties/#respond Fri, 12 Sep 2025 02:31:43 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2856 અશ્વિન પાઠકના માર્ગદર્શનમાં ચલા ખાતે આવેલી ધ પાર્ક સોસાયટીમાં મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું અભિયાન સતત એક મહિનો ચલાવવામાં આવ્યું 

The post વાપી મહાનગરપાલિકા દ્વારા મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું વિશેષ અભિયાન હાથ ધરાયું appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું અભિયાન ચલાવી ફ્લેટધારકોને ઘરબેઠા કામગીરી કરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી દ્વારા નામ ટ્રાન્સફર માટે આવતી અરજીઓના નિકાલ માટે સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને કામગીરી ઝડપથી કરવા એક નવી પહેલ કરી મોટી સોસાયટીમાં અભિયાન ચલાવવા સૂચના આપવામાં આવી હતી.

નાગરિકો કામધંધાની વ્યસ્તતા અને અન્ય કારણોથી નામ ટ્રાન્સફર કરાવવા કચેરી સુધી આવી શકતા ન હતા. આ અંગે નાયબ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકના માર્ગદર્શનમાં ચલા ખાતે આવેલી ધ પાર્ક સોસાયટીમાં મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું અભિયાન સતત એક મહિનો ચલાવવામાં આવ્યું અને ૧૧૨ મિલકત ધારકોનું નામ ટ્રાન્સફર કરી આપી ફીની રૂ.૪.૭૦ લાખની તથા વેરાની રૂ.૬.૪૪ લાખ મળી કુલ રૂ.૧૧.૧૪ લાખની આવક પણ મેળવી હતી.

ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરે ધ પાર્ક સોસાયટીમાં બિલ્ડર અલ્પેશ કાછડિયાના સહયોગથી દરેક ઘરે નામ ટ્રાન્સફરના ફોર્મનું વિતરણ કરાવી જરૂરી દસ્તાવેજી પુરાવાઓ તૈયાર કરાવ્યા હતા અને તેની ચકાસણી કરાવી ફી તથા વેરાની રકમ જણાવીને ભરાવી હતી. મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાના અભિયાનની પૂર્ણાહુતિએ સોસાયટીમાં મિલકતધારકોને નાયબ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકના હસ્તે નવા નામનું આકારણીપત્રક આપવામાં આવ્યું હતું.

રહીશોએ ઘરબેઠા સુવિધા મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. વાપી મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું વિશેષ અભિયાન ચલાવી નાગરિકોને ઘરબેઠા સુવિધા આપવા સાથે આવક મેળવી હતી. અગાઉ પણ જૂન માસમાં મિલકતધારકો ઘરઆંગણે વેરો ભરીને રીબેટ યોજનાનો લાભ લઈ શકે એ માટે કેમ્પ રાખવામાં આવ્યા હતા.

The post વાપી મહાનગરપાલિકા દ્વારા મિલકતમાં નામ ટ્રાન્સફર કરવાનું વિશેષ અભિયાન હાથ ધરાયું appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/vapi-municipal-corporation-launches-special-campaign-to-transfer-names-to-properties/feed/ 0
મુખ્યમંત્રીએ ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપો ખુલ્લો મૂક્યો https://gujarati.gujaratnewspost.com/chief-minister-inaugurates-all-gujarat-caterers-association-agca-expo/ https://gujarati.gujaratnewspost.com/chief-minister-inaugurates-all-gujarat-caterers-association-agca-expo/#respond Tue, 09 Sep 2025 12:18:44 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2839 આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું […]

The post મુખ્યમંત્રીએ ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપો ખુલ્લો મૂક્યો appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારના કામમાં સહભાગી બનીએ.

ખાદ્ય, પાકકળા અને પેય ઉદ્યોગોના 150થી વધુ સ્ટોલ્સમાં કેટરર્સના ઉત્પાદનોનું પ્રદર્શન આ કેટરિંગ એક્સ્પોની વિશેષતા છે. આ ઉપરાંત, કેટરિંગ એસોસિએશનના સભ્યોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ અને સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. કેટરિંગ એસોસિએશનના સભ્યો અને પ્રતિનિધિઓ સાથે જ્ઞાન અને અનુભવના આદાન-પ્રદાન માટેનું એક ઉત્તમ મંચ પૂરું પાડતાં આ એકસ્પોમાં ખાદ્ય અને પેય ઉદ્યોગો સાથે સંકળાયેલા દેશભરના અંદાજિત 5000થી વધુ મુલાકાતીઓ પ્રત્યક્ષ મુલાકાત લેવાના છે.

આ પ્રસંગે ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનના પ્રમુખ ભવાનીસિંહ પુરોહિતે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિથી આ આયોજન તથા તેમાં ભાગ લેનારા સર્વ સભ્યોના ઉત્સાહમાં અનેકગણો વધારો થયો છે. આ તકે તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ મનોજ પુરોહિત સહિત સમગ્ર રાજ્યમાંથી એસોસિએશનના સભ્યો આ એક્સપોના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

The post મુખ્યમંત્રીએ ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપો ખુલ્લો મૂક્યો appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/chief-minister-inaugurates-all-gujarat-caterers-association-agca-expo/feed/ 0
સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળશે : Jagdish Vishwakarma https://gujarati.gujaratnewspost.com/you-will-get-a-copy-of-your-revenue-document-with-a-single-click-jagdish-vishwakarma/ https://gujarati.gujaratnewspost.com/you-will-get-a-copy-of-your-revenue-document-with-a-single-click-jagdish-vishwakarma/#respond Tue, 09 Sep 2025 05:31:56 +0000 https://gujarati.gujaratnewspost.com/?p=2836 7/12૭/12ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરાયું છે. વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર રાજ્યકક્ષાના ડેટા સેન્ટર અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી Jagdish Vishwakarmaએ જણાવ્યું રાજ્યકક્ષાના આ ડેટા સેન્ટરના નિર્માણ બાદ નાગરિકોને સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળી […]

The post સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળશે : Jagdish Vishwakarma appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
7/12૭/12ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરાયું છે. વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર રાજ્યકક્ષાના ડેટા સેન્ટર અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી Jagdish Vishwakarmaએ જણાવ્યું રાજ્યકક્ષાના આ ડેટા સેન્ટરના નિર્માણ બાદ નાગરિકોને સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળી જશે.

Jagdish Vishwakarmaએ જણાવ્યું કે 7/12ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.

વધુમાં, મંત્રી Jagdish Vishwakarmaએ કહ્યું કે ગાંધીનગરના સેકટર-14માં રાજ્ય કક્ષાના ડેટા સ્ટોરેજ સેન્ટરમાં જાળવણી માટે કોમ્પેકટરની સુવિધાવાળા વિશાળ રેકર્ડ રૂમ, કોન્ફરન્સ હોલ/ટ્રેનિંગ રૂમ અને મ્યુઝિયમ સહિતનું કુલ-7 માળનું 2,44,725 ચોરસ ફૂટનું બાંધકામ કરાશે. આ બાંધકામ ડિસેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

Jagdish Vishwakarmaએ જણાવ્યું કે વર્ષ-1888 વખતના અંગ્રેજ સરકાર દ્વારા થયેલા માપણી ટિપ્પણનું રેકર્ડ, સદરહુ ડેટા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવશે. મહેસૂલ વિભાગની વિવિધ યોજના થકી જમીન રેકર્ડના કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માનવસર્જિત અથવા કુદરતી આફતોના કારણોસર જિલ્લાઓના રેકર્ડને નુકશાન પહોંચે કે રેકર્ડ નાશ પામે, તો તેની એક કોપી ડેટા સ્ટોરેજ સેન્ટર ખાતેથી મળી શકે, તે હેતુથી આ અદ્યતન ડેટા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

The post સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળશે : Jagdish Vishwakarma appeared first on ગુજરાત ન્યૂજ પોસ્ટ.

]]>
https://gujarati.gujaratnewspost.com/you-will-get-a-copy-of-your-revenue-document-with-a-single-click-jagdish-vishwakarma/feed/ 0