આપણો દેશ ભારત સમૃદ્ધ, વિકસિત, સક્ષમ અને અનેક ભાષાઓનો દેશ છે. સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતાવાળા આ ગૌરવશાળી દેશમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ વચ્ચે હિન્દી સદીઓથી સંપર્ક ભાષા તરીકે કાયમ રહી છે અને સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધતી રહી છે. આ આપણા દેશની રાષ્ટ્રીય એકતા અને અસ્મિતાનું સૌથી પ્રભાવી અને શક્તિશાળી માધ્યમ છે. હિન્દી એક સમૃદ્ધ ભાષિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાની વાહિની છે. કરોડો ભારતવાસીઓની લાગણીઓ આ ભાષા સાથે જોડાયેલી છે. હિન્દી ભારતનો અંતરાત્મા છે અને રાષ્ટ્રની વાણી છે, તેમજ અધિકાંશ દેશવાસીઓની અભિલાષાઓની અભિવ્યક્તિનું માધ્યમ છે.
ઇતિહાસ પર નજર નાખીએ તો હિન્દી જ સ્વતંત્રતાની લડત દરમિયાન દેશની સમગ્ર જનતાને જોડવાનું માધ્યમ બની હતી અને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી આપણા દેશના બંધારણ નિર્માતાઓએ એકમતે હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી. હિન્દીને રાજભાષા તરીકે પસંદ કરવામાં આવી કારણ કે આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ અધિકાંશ ભાષાઓ દેવનાગરીમાં લખી શકાય એવી હતી.
સંઘની રાજભાષા તરીકે સ્થાપિત થયા બાદ બંધારણના અનુચ્છેદ 343માં જણાવાયું છે કે,“સંઘની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી હશે. સંઘના શાસકીય પ્રયોજન માટે વપરાતા અંકોનું સ્વરૂપ ભારતીય અંકોનું આંતરરાષ્ટ્રીય સ્વરૂપ હશે.” વધુમાં અનુચ્છેદ 351માં કહેવાયું છે કે, “સંઘનું આ કર્તવ્ય રહશે કે તે હિન્દી ભાષાનો પ્રસાર વધારે, તેનો વિકાસ કરે જેથી તે ભારતની સંમિશ્ર સંસ્કૃતિનાં તમામ તત્ત્વોની અભિવ્યક્તિનું માધ્યમ બની શકે અને તેની પ્રકૃતિમાં હસ્તક્ષેપ કર્યા વિના હિંદુસ્તાની તથા આઠમી અનુસૂચિમાં નિર્દિષ્ટ ભારતની અન્ય ભાષાઓના પ્રયુક્ત રૂપ, શૈલી અને શબ્દોને આત્મસાત કરીને તથા જ્યાં જરૂરી હોય ત્યાં મુખ્યત્વે સંસ્કૃત માંથી અને ગૌણ રૂપે અન્ય ભાષાઓ માંથી શબ્દો સ્વીકારીને તેની સમૃદ્ધિ સુનિશ્ચિત કરે.”
ખૂબ આનંદની વાત છે કે આવતીકાલે એટલે કે, 14 સપ્ટેમ્બર 2025ના રોજ હિન્દીને રાજભાષા તરીકે માન્યતા મળ્યાને 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ આપણા સૌ માટે આનંદનો પ્રસંગ છે. આપણી બંધારણીય જવાબદારી પૂરી કરવાના સંકલ્પોને પુનરાવર્તિત કરવાનો આ પ્રસંગ છે. બંઘારણે આપણને સૌને રાજભાષા હિન્દીના વિકાસની જવાબદારી સોંપી છે.
રાજભાષા સંબંધિત બંધારણીય જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા તથા સંઘના સરકારી કામકાજ માટે હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા જૂન 1975માં ગૃહ મંત્રાલયના સ્વતંત્ર વિભાગ તરીકે રાજભાષા વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.
રાજભાષા વિભાગ સરકારી કામકાજમાં હિન્દીના પ્રગતિશીલ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નિરંતર પ્રયત્નશીલ છે અને આ ક્રમમાં, તે દર વર્ષે હિન્દી દિવસનું આયોજન કરે છે. 2019માં, આપણા ગૃહમંત્રીએ હિન્દી દિવસના આયોજનને વિજ્ઞાન ભવન સુધી મર્યાદિત ન રાખીને ભારતના વિવિધ શહેરોમાં આયોજીત કરવાની સંકલ્પના કરી હતી.
ગૃહમંત્રીના કુશળ માર્ગદર્શન હેઠળ રાજભાષા વિભાગ આ સંકલ્પને સાકાર કરવા નિરંતર પ્રયત્નશીલ રહ્યો છે. આ સંકલ્પનાના પરિણાન રૂપે અમે વર્ષ 2021માં વારાણસીમાં પ્રથમ અખિલ ભારતીય રાજભાષા સંમેલનના રૂપમાં અને ત્યાર બાદ 2022માં સૂરત અને 2023માં પુનામાં હિન્દી દિવસ અને બીજા અને ત્રીજા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના સંયુક્ત આયોજનોમાં જોયુ. તે ક્રમમાં ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગત વર્ષે અમે હિન્દી દિવસ – 2024 અને ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું દિલ્હીના પ્રગતિ મૈદાન સ્થિત ભારત મંડપમ ખાતે ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યાં છે. તે જ ભારત મંડપમમાં, રાજભાષા વિભાગે પોતાની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 26 જૂનના રોજ વિભાગના સ્વર્ણ જયંતિ સમારોહનું ગરિમાપૂર્ણ આયોજન ફરી એકવાર ગૃહમંત્રીની અધ્યક્ષતામાં આયોજીત કરવામાં આવ્યું. મને આ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે આ આયોજનોથી દેશભરના રાજભાષા કર્મચારીઓ અને અધિકારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. સૂરત-પુના અને ભારત મંડપમ દિલ્લીના કાર્યક્રમોમાં હિન્દી કર્મચારીઓ અને વિશાળ જનસમૂહની ઉપસ્થિતિ ખાતરી પ્રદાન કરે છે કે હિન્દી વિવિધ ભાષાઓની સહોદરી તો છે જ અને દેશનો ધબકાર પણ છે.
ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરમાં હિન્દી દિવસ અને પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન એ અર્થમાં પણ ખાસ છે કે, આ પ્રસંગ રાજભાષા વિભાગની સ્થાપનાના તે વર્ષમાં થઈ રહ્યો છે જેને અમે અમારા વિભાગના સ્વર્ણ જયંતી વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ.
રાજભાષા વિભાગની સ્થાપનાના 50 વર્ષોમાં અમે ન માત્ર અનેક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યા છે પરંતુ તકનીકીના ક્ષેત્રે પણ વિભાગે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે.
આવતીકાલથી શરુ થનાર બે દિવસીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન પ્રાતઃ 10 કલાકે મુખ્ય અતિથિ ગૃહમંત્રી કરશે.આધુનિકતા અને ભારતીય વારસાનું સંગમસ્થળ, મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગરમાં આ આયોજન કાર્યક્રમને અનોખી ભવ્યતા અને ગૌરવ પ્રદાન કરશે. ઉદ્ઘાટન સત્રમાં ગૃહમંત્રીના કરકમલો દ્વારા રાજભાષા વિભાગ દ્વારા ભારતીય ભાષા અનુભાગ માટે તૈયાર કરાયેલ બહુભાષી અનુવાદ સોફ્ટવેર ભારતીનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ ડિજિટલ હિન્દી શબ્દકોશ હિન્દી શબ્દ સિંધુના ઉન્નત સંસ્કરણના સાત લાખ શબ્દો સાથેના નવા રુપનું પણ લોકાર્પણ કરશે. આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલ રાજભાષા ભારતીના હિન્દી અને સહકારિતા પર કેંદ્રિત વિશેષાંકનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે વિભાગ દ્વારા વિશેષ રુપે પ્રકાશિત પુસ્કત ‘હિન્દી અને ભારતીય ભાષાઓ : અનુવાદના આયામ’ નામની પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવશે. સાથે જ અન્ય પુસ્તકો અને પત્રિકાઓનું પણ વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકો રાજભાષા વિભાગના માર્ગદર્શન હેઠળ અલગ અલગ બેંકો અને સંસ્થાઓ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ પ્રસંગે ગૃહમંત્રી દ્વારા રાજભાષા ગૌરવ તથા રાજભાષા કીર્તિ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવશે.
14 સપ્ટેમ્બરના રોજ, મધ્યાહન ભોજન બાદ પ્રથમ ચર્ચા સત્ર રાખવામાં આવ્યું છે- ભારતીય સંઘની સંરચનામાં હિન્દી અને ભારતીય ભાષાઓનો સમન્વય, જેની અધ્યક્ષતા કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલજી કરશે .
બીજા સત્રમાં ઓપરેશન સિંદૂર : પરંપરા, પ્રતીક અને પરાક્રમ પર પરિચર્ચા થશે.
15 સપ્ટેમ્બરના રોજ ત્રીજા સત્રમાં સૂચના પ્રૌદ્યોગિકીમાં હિન્દી અને ભારતીય ભાષાઓ : એક પરિચર્ચામાં દેશના પ્રસિદ્ધ ભાષાવિદ અને તકનીકી વિશેષજ્ઞો પોતાના વિચારો રજૂ કરશે.
ચોથું સત્ર -“રાજભાષા હિન્દીના અમલીકરણનું સશક્ત એકમ : નગર રાજભાષા અમલીકરણ સમિતિ”
પાંચમું સત્ર – પર્દાથી પોસ્ટ સુધી : સફળતાના રંગ, હિન્દીને સંગ, જેમાં ઉપસ્થિત રહેશે રવિ કિશન, સાંસદ, લોકસભા, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક તથા મનોજ જોશી, ફિલ્મ અભિનેતા
અંતિમ સત્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું અને સમાપન સત્ર રહેશે.
આ રીતે, આ બે દિવસોમાં 76 વર્ષમાં હિન્દી રાજભાષા, જનભાષા અને સંપર્ક ભાષાના રુપમાં હિન્દીની પ્રગતિ પર ગહન વિચાર-મંથન થશે. અમૃતકાળમાં આપણે હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓ વચ્ચે પારસ્પરિક સહભાગિતાને પ્રોત્સાહન આપવાની દિશામાં અગ્રેસર રહીશું અને દેશવાસીઓ વચ્ચે તાલમેલ સુદૃઢ કરવાની દિશામાં પગલાં લઈશું.
રાજભાષા હિન્દીનો મહત્તમ વિકાસ તે વાત પર નિર્ભર કરે છે કે કામકાજમાં તેનો કેટલો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ભાષા લોકપ્રિય ત્યારે જ બને છે જ્યારે તે જનમાનસ પર પોતાનો અધિકાર સ્થાપિત કરી શકે છે. આ અધિકાર જો પ્રેમ અને સદ્ભાવના દ્વારા સ્થાપિત થાય છે, તો તે લાંબા સમય સુધી કાયમ રહે છે. નિરંતર ઉપયોગમાં લેવાથી કોઈપણ ભાષા પોતાની લાગવા લાગે છે અને ભાષાના કઠીન શબ્દ પણ સરળ લાગવા લાગે છે. તેથી હું દરેકને આગ્રહ કરું છું કે હિન્દીનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરે. જે દેશના નાગરીકો પોતાની ભાષામાં વિચારે અને લખે છે, વિશ્વ તે દેશને સન્માનની દૃષ્ટિથી જુએ છે.
આપણો દેશ હંમેશા વિશ્વમાં અગ્રેસર રહ્યો છે અને ગત કેટલાક વર્ષોમાં વૈશ્વિક સ્તરે હિન્દીએ અલગ ઓળખ બનાવી છે. વિશ્વની મોટી મોટી સંસ્થાઓ અને કંપનીઓ હિન્દીમાં કામકાજ કરવા માટે પ્રેરિત છે. ઓગસ્ટ 2020ના એક અહેવાલ મુજબ, મોટાભાગની ઈ-કોમર્સ કંપનીઓએ તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે પોતાની વેબસાઇટ હિન્દીમાં બનાવી છે.
દેશની કલ્યાણકારી યોજનાઓ પણ ત્યારે જ પ્રભાવી બને છે જ્યારે જનતા અને સરકાર વચ્ચે નિરંતર સંવાદ, સંપર્ક અને પારદર્શિતા હોય અને દેશના તમામ લોકોને સરકારની યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય. આમાં ભાષાનું ખૂબ મહત્વ છે. મને એ કહેતાં આનંદ થાય છે કે રાજભાષા હિન્દી આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આજે જે મંત્રાલયો, કાર્યાલયો અને ઉપક્રમોને ગૃહમંત્રીના કરકમલોથી સન્માનિત કરવામાં આવશે તે સૌને હ્યદયપૂર્વક અભિનંદન પાઠવું છું. ભારતના ગૃહમંત્રીના કરકમલો દ્વારા આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરવો એ નિશ્ચિત રૂપે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે અને અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
